Interior Designers in Trichy | Pencil Kart
Transform Your Home with Pencil Kart: The Leading...
CTA: એવરી માઇન્ડ મેટર્સની સાથે તમારી નાની મોટી બાબતોને શોધો: nhs.uk/every-mind-matters/
એક સામાન્ય કહેવાય તેવી હકારાત્મક દૈનિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાથી તમારા માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર પડી શકે છે.
મરિયમ હબીબ તેના બીજા બાળક સાથે ગર્ભવતી હતી ત્યારે તે અપમાનજનક લગ્નથી છૂટી થઈ હતી, જેના માટે તે તૈયાર ન હોવાથી તેણીને અવરોધોનો સામનો કરવો પડ્યો હતો.
સિંગલ પેરેન્ટ તરીકે મરિયમે ઘણા દબાણોનો સામનો કરવો પડ્યો હતો અને તેણીએ તેની માનસિક સુખાકારી અને તેની ચિંતા કરવાતી લાગણીઓને દૂર કરવામાં મદદ કરવા માટેના પગલાં લેવાની જરૂરિયાતને ઓળખી હતી.
મરિયમે શોધી કાઢ્યું હતું કે રોજિંદી કામગીરી કરવાથી તેને ખુદને ‘સુખ આપતી જગ્યા’ શોધવામાં મદદ મળી છે અને તેણીની માનસિક સુખાકારીને ટેકો આપ્યો છે.
તે કહે છે કે: “દરરોજ હું હકારાત્મક રીતે મજબૂત થાઉ તે માટે થોડી નોંધો કરવા માટે સમય કાઢું છું – ઉદાહરણ તરીકે, હું કેવું અનુભવું છું અને મારા વિચારો શું છે તે લખું છું.
“હું મારી જાતને યાદ કરાવું છું કે હું સુંદર છું, હું મજબૂત છું, અને હું મારા જીવનનું નિયંત્રણ કરૂ છું. આ સમય દરમિયાન, હું ધાર્મિક પાઠ પણ સાંભળું છું – મને તે અતિશય સુખદાયક અને શાંત લાગે છે.
“સૂવાના સમયે હું આરામ કરવા, મારું મન સાફ કરવા અને રાત્રે શાંતિપૂર્ણ ઊંઘ લેવા માટે શ્વાસ લેવાની કેટલીક કસરતો કરું છું. મારા બાળકો મારી સૌથી મોટી પ્રેરણા છે અને રીલેક્ષેસન રૂટીન બનાવીને હું શ્રેષ્ઠ માતા બની શકું છું.”
હવે, મરિયમ માત્ર તેના નાના બાળકોને સિંગલ પેરેન્ટ તરીકે ઉછેરતી જ નથી, પરંતુ તેણી તેના બીએસસી (ઓનર્સ) હેલ્થ એન્ડ સોશિયલ કેર ડિગ્રી અભ્યાસમાં પણ પાછી આવી છે અને તેને પ્રતિષ્ઠિત YAYA એવોર્ડ્સ માટે તેની સરાહના કરવામાં આવી છે અને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.
અમે NHSના એવરી માઇન્ડ મેટર પ્રોગ્રામની શ્રેષ્ઠ પ્રેક્ટિસનું અન્વેષણ કરીએ છીએ
તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે તમે તેને તમારા રોજિંદા જીવનમાં સામેલ કરી શકો છો.

સક્રિય રહેવું તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે જ સારું નથી, તે ત
મારા મન માટે પણ સારું છે. તે તમારી નર્વસ ઊર્જાને બાળી નાખવામાં મદદ કરી શકે છે. તે કદાચ તકલીફની લાગણીઓને સંપૂર્ણપણે અદૃશ્ય કરી શકતું નથી, પણ તે તેમને ઓછી તીવ્ર બનાવી શકે છે. તમે હળવા ઓનલાઈન યોગ વર્ગો, ઘરની આસપાસ હેરફેર અથવા તાજી હવામાં ટૂંક સમય માટે ચાલવાનું પસંદ કરી શકો છો.
કેટલીકવાર આપણે વિચારની મદદ ન કરે તેવી પેટર્ન વિકસાવીએ છીએ, અને તે મદદ ન કરે તેવા વર્તન તરફ દોરી શકે છે, તેથી તેમને ઓળખવાથી અને તેમના વિશે અલગ રીતે વિચારવાથી તે આપણી માનસિક સુખાકારીમાં સુધારો કરી શકે છે. કોગ્નીટીવ બીહેવીયરલ થેરાપી દ્વારા પ્રેરિત મફત, વ્યવહારુ જાતે જ સહાય કરતી ટિપ્સ માટે જુઓ nhs.uk/every-mind-matters
આપણે કેવું અનુભવી રહ્યા છીએ તે અંગે આપણે કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે વાત કરવાથી આપણું માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી સુધરી શકે છે અને આપણને એકલતા અનુભવતા અટકાવવામાં મદદ મળે છે. તમે કેવું અનુભવો છો તે શેર કરવાથી તમે શેમાંથી પસાર થઇ રહ્યાં છો તે સમજવામાં તેમને મદદ થશે અને સાથે મળીને તમે તેના ઉકેલો શોધી શકો છો.
સારી-ગુણવત્તાવાળી ઊંઘ આપણને માનસિક અને શારીરિક રીતે કેવું લાગે છે તેમાં મોટો ફરક પાડે છે. એવરી માઇન્ડ મેટર્સમાં તમારી ઊંઘ સુધારવા માટે ઘણી બધી ટીપ્સ છે અને તમને સૂવાના સમયની સારી આદતો વિકસાવવામાં મદદ કરવા માટે એક ઇમેઇલ પ્રોગ્રામ છે.
કુદરતમાં સમય વિતાવવો – બગીચાઓ અથવા પાર્ક્સ જેવા હરીયાળા સ્થળો – તમારા મૂડને ઉત્થાન આપી શકે છે અને તમને વધુ હળવાશ અનુભવવામાં મદદ કરી શકે છે. તમે વિન્ડોસીલ અથવા બાલ્કનીમાં છોડની સંભાળ રાખીને પણ પ્રકૃતિને તમારા જીવનમાં લાવી શકો છો.
આગળ વઘવા માટે કંઈક હોવું મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે તમને બાબતો અઘરી લાગતી હોય. તે તમને કંટાળા અને સુસ્તીનો સામનો કરવામાં મદદ કરશે અને તમારા મૂડને વેગ આપશે અને તમને ઉત્સાહિત કરશે. તેનું આયોજન કરવા માટે કંઈ જટિલ અથવા ખર્ચાળ હોવું જરૂરી નથી; મિત્ર અથવા પાડોશી સાથે ચા-કોફી કે મફત સ્થાનિક એટ્રેક્શનની મુલાકાત લેવાનો સમય નક્કી કરી શકો છો.
જો તમે ચિંતા અથવા હતાશાની લાગણીઓ સાથે સંઘર્ષ કરી રહ્યાં હો, તો NHSની ટૉકિંગ થેરાપીઓ મદદ કરી શકે છે. આ સેવાઓ વ્યવહારુ મનોવૈજ્ઞાનિક ઉપચારો પ્રદાન કરે છે જે વિવિધ પ્રેક્ટીકલ સાયકોલોજીકલ થેરાપીઝ ઓફર કરે છે જે વિવિધ સામાન્ય મેન્ટલ હેલ્થ ડીસોર્ડરમાં મદદ કરી શકે છે અને તે મફત અને અસરકારક છે.
ટોકિંગ થેરાપી તાલીમ પામેલા NHS મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ દ્વારા, વન ટૂ વન સેશન્સમાં, રૂબરૂમાં અથવા ફોન પર આપવામાં આવે છે, અને ઇન્ટરેક્ટિવ વેબસાઇટ્સ દ્વારા ઑનલાઇન પણ ઍક્સેસ કરી શકાય છે.
તમે તમારી સ્થાનિક સેવા શોધવા અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે nhs.uk/talk ની મુલાકાત લઈને NHS ટૉકીંગ થેરાપીઝનો રેફરન્સ લઈ શકો છો અથવા ઈમેલ અથવા ફોન દ્વારા તેમનો સંપર્ક કરી શકો છો. તે માટે પાત્ર થવા માત્ર GP સાથે નોંધણી કરાવવી જરૂરી છે.
Transform Your Home with Pencil Kart: The Leading...
OTA~DE || Does Condor have 24 hour free cancellation? Call - +1~866~581~4008 For More Information
According to a new market research report titled,...
Come with us to stay ahead of the curve in the...
Gambling addiction is one of the most silent yet...
CRC Joyous offers luxurious 2, 3, and 4 BHK...
Instagram masih menjadi salah satu media sosial...
Rishikesh, located in the northern state of...
If you’ve been wondering where to...
Creamy Animation is an animated explainer video...
Please login to comment on this Post